• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર સ્થળ પર ગંગાજળ અને કાબુલ નદીનું જળ અર્પણ કર્યું

in India
યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર સ્થળ પર ગંગાજળ અને કાબુલ નદીનું જળ અર્પણ કર્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, મારા અયોધ્યા જવાનો મુખ્ય હેતુ એ છે કે અફઘાનિસ્તાનની એક યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કાબુલ નદીનું જળ શ્રી રામ જન્મ ભૂમિને સમર્પિત કરવા મોકલ્યું છે. એ ભાવનાને હું ખાસ આ પ્રસંગ સાથે સાંકળવા જાઉં છું.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) રવિવારે અયોધ્યામાં રામ જન્મ ભૂમિ (Ayodhya Ram Janmabhoomi) ખાતે કાબુલ નદી અને ગંગાનદીનું જળ અર્પણ કર્યું હતું. કાબુલ નદીનું જળ અફઘાનિસ્તાનની એક યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામ જન્મ ભૂમિ પર અર્પણ કરવા મોકલ્યું હતું.

અયોધ્યામાં મુખ્યમંત્રીએ કહ્યું, ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજે મને ગંગાજળ સાથે કાબુલ નદીમાંથી આવતા પાણીને સમર્પિત કરવાનો લહાવો મળ્યો છે. યોગીએ કહ્યું, તમે અંદાજ લગાવી શકો છો કે અફઘાનિસ્તાનમાં કેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિઓમાં પણ જો કોઈ છોકરી શ્રી રામ જન્મ ભૂમિ સંકુલમાં ભેટ મોકલે તો તે ખૂબ જ પ્રશંસાપાત્ર છે. એ ભાવનાઓનું સન્માન કરવા આજે હું પોતે આ જળ લઈને અયોધ્યા આવ્યો છું.

કાબુલ નદીનું જળ અર્પણ કરવા યોગી પહોંચ્યા
અયોધ્યા જતા પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં પત્રકારોને જણાવ્યું હતું કે, મારા અયોધ્યા જવાનો મુખ્ય હેતુ એ છે કે અફઘાનિસ્તાનની એક યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કાબુલ નદીનું જળ શ્રી રામ જન્મ ભૂમિને સમર્પિત કરવા મોકલ્યું છે. એ ભાવનાને હું ખાસ આ પ્રસંગ સાથે સાંકળવા જાઉં છું.

થોડી જ વારમાં યોગી હેલિકોપ્ટરથી અયોધ્યા ગયા. તેમણે કહ્યું કે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે, ત્યાં દુનિયાભરની પવિત્ર નદીઓના જળનો ઉપયોગ કરવામાં આવશે અને કાબુલની આ યુવતીએ ભક્તિનું ઉદાહરણ આપ્યું છે. તેમણે અફઘાનિસ્તાનની આ યુવતીની પ્રશંસા કરી.

દિવાળીની તૈયારીઓ
યોગી સરકાર અયોધ્યામાં દીપોત્સવની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજ્ય સરકારે રામનગરીને ગાયના છાણમાંથી બનાવેલા દીવાઓથી રોશન કરવાની તૈયારીઓ કરી છે. આ વખતે દિવાળીમાં અયોધ્યામાં પાંચ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: