સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના યુવા ક્રિકેટર અવી બારોટનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. અવી બારોટ સારા બેટ્સમેન અને વિકેટ કિપર હતાં. તેઓએ બે દિવસ અગાઉ જ ગુજરાત સામેની રણજી ટ્રોફીમાં 45 બોલમાં 72 રન બનાવ્યાં હતાં. આ વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 38 બોલમાં 122 રન ફટકાર્યા હતાં. અવી બારોટના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને શોક વ્યક્ત કર્યો છે.
Our hearts bleed as outstanding player and very noble being Avi Barot is no more with us. It’s extremely shocking and saddening. May his noble soul be in shelter of benevolent Almighty. Avi, you shall be missed forever #rip @saucricket @GCAMotera @BCCI @BCCIdomestic #cricket pic.twitter.com/wzRONq95JV
— Saurashtra Cricket (@saucricket) October 16, 2021
જાણો કેવી હતી અવી બારોટની કારકિર્દી?
અવી બારોટ સારા એવાં વિકેટકીપર તેમજ જમણા હાથના બેટ્સમેન હતાં. તેઓએ પોતાની કારકિર્દીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેઓએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 1547 રન બનાવ્યા હતાં. જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને સ્થાનિક T-20 માં 717 રન બનાવ્યા હતાં. જ્યારે સૌરાષ્ટ્ર એ 2019-20 સિઝનમાં બંગાળને હરાવી રણજી ટ્રોફીનો ખિતાબ મેળવ્યો હતો. સૌરાષ્ટ્ર માટે અવીએ 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક T 20 મેચ રમી હતી.
Saurashtra wicket-keeper Avi Barot dies after suffering cardiac arrest
Read @ANI Story | https://t.co/Ll2fH4vGIS#Saurashtra #AviBarot pic.twitter.com/WzyjuAbYsk
— ANI Digital (@ani_digital) October 16, 2021
ખૂબ જ આઘાતજનક અને દુ:ખદ સમાચાર : જયદેવ શાહ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે પણ અવી બારોટના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘આ ખૂબ જ આઘાતજનક અને દુ:ખદ સમાચાર છે. જેની પાસે અદભૂત ક્રિકેટ કુશળતા હતી. તાજેતરમાં જ રમાયેલી તમામ ડોમેસ્ટિક મેચોમાં બારોટનું પ્રદર્શન અદભૂત હતું. તે એક સારી વ્યક્તિ અને મિત્ર હતો. તેમના અચાનક અવસાનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા તમામને ભારે દુ:ખ થયું છે.’
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.