• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

સચિન અંગે કપિલ દેવનું મોટું નિવેદન, કહ્યું- તેઓ ક્યારે ‘નિર્દય’ બેટ્સમેન ન બની શક્યા…

in Sports
સચિન અંગે કપિલ દેવનું મોટું નિવેદન, કહ્યું- તેઓ ક્યારે ‘નિર્દય’ બેટ્સમેન ન બની શક્યા…

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નામ દુનિયાના મહાન બેટ્સમેનોમાં શામેલ છે. પરંતુ ઘણી એવી વસ્તુઓ પણ છે જે સચિન પણ તેમના કરિયરમાં મેળવી શક્યા નથી. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે તાજેતરમાં સચિન તેંડુલકરને લઈ મોટું નિવેદન આપ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ કપિલ દેવે કહ્યું કે સચિન નિર્દય બેટ્સમેન નહોતા. તે સદીને 200 અથવા 300માં બદલી શકતા નહોતા. આપને જણાવી દઈએ કે સચિન તેંડુલકરનું નામ માર્વેન અટ્ટાપટ્ટૂ, વીરેન્દ્ર સહેવાગ, જાવેદ મિયાંદાદ, યૂનિસ ખાન અને રિકી પોન્ટિંગની જેમ ટેસ્ટ ક્રિકેટમાં 6 બેવડી સદી ફટકારવામાં સામેલ છે. સર ડોન બ્રેડમેન આ લિસ્ટમાં સૌથી ઉપર છે જેમના નામે 12 બેવડી સદી છે.

સચિનને લઈ કપિલ દેવનું મોટું નિવેદન:

રિપોર્ટ મુજબ કપિલ દેવે કહ્યું કે,‘સચિન પાસે જેટલી પ્રતિભા હતી એટલી મે કોઈમાં જોઈ નથી. તેઓ જાણતા હતા કે સદી કેવી રીતે ફટકારવી છે. પરંતુ તે ક્યારે નિષ્ઠુર બેટ્સમેન ન બન્યા. તેઓ સદી બાદ હળવું વલણ અપનાવતા હતા અને ફાસ્ટ રમવાની જગ્યાએ ‘સિંગલ’ લેવાનું શરૂ કરતા. સચિન પાસે ક્રિકેટમાં બધુ હતુ. પરંતુ સદીને બેવડી સદી અથવા તો ટ્રિપલ સેન્ચુરીમાં તેઓ પરિવર્તિત નહોતા કરી શકતા.’

રિપોર્ટ મુજબ કપિલ દેવને લાગે છે કે સચિનના નામે ઓછામાં ઓછી 3 ટ્રિપલ સેન્ચુરી અને 10 ડબલ સેન્ચુરી હોવી જોઈતી હતી. કારણ કે તે ફાસ્ટ બોલર અને સ્પિનર બંનેને દરેક ઓવરમાં ચોગ્ગો ફટકારતા હતા. આપને જણાવી દઈએ કે ભારત માટે સચિને 200 ટેસ્ટ મેચ રમી જેમાં 53.78ની સરેરાશથી 15,921 રન બનાવ્યા. ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી ફટકારનાર સચિને પહેલી બેવડી સદી ફટકારવામાં 10 વર્ષ લીધા. અમદાવાદમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 217 રન બનાવી પહેલી બેવડી સદી ફટકારી હતી.

વિરાટ કોહલીના નામે 7 બેવડી સદી:

હાલની વાત કરીએ તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે 7 બેવડી સદી છે. તે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે. જ્યારે ટ્રિપલ સેન્ચુરીની વાત કરીએ તો ભારતના માત્ર 2 બેટ્સમેન છે જેમને આ સિદ્ધિ મેળવી છે. વીરેન્દ્ર સહેવાગે બે વાર અને કરુણ નાયરે એક વાર ટ્રિપલ સેન્ચુરી બનાવી છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

હાર્દિક પંડ્યા પણ હવે નહીં રાખે દયા! મુંબઇ સામે હારનું કારણ બનેલ આ ઘાતક ખેલાડીને ટીમમાંથી કરશે બહાર…
Sports

હાર્દિક પંડ્યા પણ હવે નહીં રાખે દયા! મુંબઇ સામે હારનું કારણ બનેલ આ ઘાતક ખેલાડીને ટીમમાંથી કરશે બહાર…

આ મહિલા ક્રિકેટરે કપડા ઉતારી નગ્ન અવસ્થામાં વિકેટકીપિંગ કરી હતી, જુઓ તસવીર…
Sports

આ મહિલા ક્રિકેટરે કપડા ઉતારી નગ્ન અવસ્થામાં વિકેટકીપિંગ કરી હતી, જુઓ તસવીર…

ધોનીને મળવા 1436 કિમી પગપાળો આવ્યો યુવક, માહીએ ઘરે મોકલવા ફ્લાઇટની વ્યવસ્થા કરી
Sports

ધોનીને મળવા 1436 કિમી પગપાળો આવ્યો યુવક, માહીએ ઘરે મોકલવા ફ્લાઇટની વ્યવસ્થા કરી

કેપ્ટને કહ્યું- આજે હું સૌથી વધુ ખુશ છું; કંઈ રણનીતિ કામ લાગી તે પણ જણાવ્યું
Sports

કેપ્ટને કહ્યું- આજે હું સૌથી વધુ ખુશ છું; કંઈ રણનીતિ કામ લાગી તે પણ જણાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: