મુંબઇ, તા.30 જુલાઈ 2020, ગુરૂવાર
અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસનો સમારોહ 5 ઓગસ્ટે યોજાવાનો છે.જેનુ લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે.
દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપે સીએમ ઉધ્ધવ ઠાકરેને એક પત્ર લખીને માંગ કરી છે કે, જે ભાવિકો આ સમારોહ લાઈવ જોવા માંગતા હોય તેમને આ સમય માટે કામ કરવામાંથી છૂટ આપવામાં આવે.
ભાજપે પત્રમાં કહ્યુ છે કે, જે રીતે બીજા ધર્મના લોકોને તેમની પ્રાર્થન માટે વિશેષ છુટ આપવામાં આવે છે તે જ રીતે ભૂમિ પૂજન નિહાળવા માટે રામ ભક્તોને પણ વિશેષ પરવાનગી આપવામાં આવે.મહારાષ્ટ્રના દરેક ગામ, જિલ્લામાં લાખો લોકો આ કાર્યક્રમ ટીવી પર જોશે,આ દરમિયાન વીજ પૂરવઠો ખોરવાય નહી તે માટે મહારાષ્ટ્ર સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.
પત્રમાં કહેવાયુ છે કે, કોરાનાના કારણે લાખો ભાવિકો આ સમારોહમાં ભાગ લેવા માટે અયોધ્યા જઈ શકે તેમ નથી.તેવા સંજોગોમાં આ ઐતહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ટીવીનુ ટેલિકાસ્ટ જ સહારો છે.લોકોની લાગણીનુ સરકારે સન્માન કરવુ જોઈએ.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.