• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

રાધે રાધેના ઉપનામથી જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી, બ્રાહ્મણોએ શરૂ કર્યા મહા મૃત્યુંજય મંત્રનો જાપ

in Gujarat
રાધે રાધેના ઉપનામથી જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી, બ્રાહ્મણોએ શરૂ કર્યા મહા મૃત્યુંજય મંત્રનો જાપ

કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. એક તરફ સરકાર લોકડાઉન બાદ સ્થિતિને સામાન્ય કરવા માટે તબક્કાવાર અનલોક જાહેર કરી રહી છે. બીજી તરફ કોરોનાના કેસનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાધે રાધેના ઉપનામથી જાણીતા કથાકાર જીગ્નેશ દાદાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તેમને સારવાર દરમિયાન ઓક્સિજન પર રાખવામાં આવેલા છે. વિડીયો વાઈરલ થયા બાદ શુભચિંતકો તેમના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર પૂછી રહ્યા છે. તેમજ તેઓ જલદી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના અને મંત્રોના જાપ કરવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસ સામે લડવા માટે અનેક લોકો આગળ આવ્યા હતા અને એમાં ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 લાખ 55 હજાર 555 રૂપિયાનું દાન કર્યુ છે. ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાએ રાધે રાધે ચેરીટેબલ ટ્રસ્ટ વતી મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી 5 લાખ 55 હજાર 555 રૂપિયાનું કોરોના વાયરસ સામે લડવા માટે દાન આપ્યુ હતું આ સાથે જ તેમણે માનવ સેવા એજ પ્રભુસેવા સૂત્રને સાર્થક કર્યુ હતું.

જિગ્નેશ દાદાનું સાચું નામ જિગ્નેશભાઈ ભાયશંકરભાઈ ઠાકર છે. જીગ્નેશ દાદા નો જન્મ માર્ચ ૨૫, 1986 ના રોજ, ગુજરાત રાજયના અમરેલી જિલ્લાના કરિયાચડ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શંકરભાઈ છે. અને તેમની માતાનું નામ જયાબેન છે અને તેમને એક બહેન છે. બાળપણમાં તેમના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. રાજુલા પાસે આવેલા જાફરાબાદમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું છે.

તમને ખાસ નવાઈ લાગે તેવી વાત તે છે કે જીગ્નેશ દાદા આમ જોવા જઈએ તો એરોનોટિકલ એન્જીનીયરીંગ કરતા હતા જો કે ત્યારબાદ તેમને ભણવાનું છોડી ને કથાનું ચાલુ કર્યું હતું.

અમરેલીની એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચુક્યા છે. તેઓએ સંસ્કૃતનું શિક્ષણ દ્વારકામાં લીધું છે. હાલમાં તેઓ સરથાણા જકાત નાકા પાસે નાના વરાછા, સુરત રહે છે અને સુરતમાં જ તેમના કથાના ઘણા મોટા આયોજનો થાય છે.

તેઓએ લગભગ 100 થી વધુ કથાઓ કરી છે તેમજ 150 થી વધુ એવોર્ડ મેળવેલા છે. રાધે રાધેના જપ કરતાં રહેતા અને તેનાથી જ ઓળખાતા જીગ્નેશ દાદાની વાણી મધુર છે આથી તેમના ભજન ગીતો પણ ઘણા લોકપ્રિય છે અને તેમની કથા સાંભળવી પણ લોકોને ગમે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?
Gujarat

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં
Gujarat

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.
Gujarat

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.

ગ્રીષ્માને ન્યાય મળતા તેની કાકીએ રડતાં રડતાં જે કહ્યું તે સાંભળીને આખો પરિવાર રડી પડ્યો.
Gujarat

ગ્રીષ્માને ન્યાય મળતા તેની કાકીએ રડતાં રડતાં જે કહ્યું તે સાંભળીને આખો પરિવાર રડી પડ્યો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: