• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

ગુજરાતના આ મંદિરમાં આપવામાં આવે છે ભજીયા-જલેબીનો પ્રસાદ, આ પ્રસાદ ખાઈને ગમે તેવી બીમારી મટી જાય છે

in Religion
ગુજરાતના આ મંદિરમાં આપવામાં આવે છે ભજીયા-જલેબીનો પ્રસાદ, આ પ્રસાદ ખાઈને ગમે તેવી બીમારી મટી જાય છે

ગુજરાતમા ઘણા મંદિરો છે. તમામ મંદિરોના કંઈ ને કઈ રહસ્યો જરૂર હોય છે. આજે અમે તમને એક એવાજ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વાંકાનેર રાજ્યના રાજ પરિવારના ગુરૂ એવા નાગાબાવાના મંદિરે શ્રાવણ વદ નોમની રાતે આરતી યોજાઇ છે. જેના બાદ જલેબી ભજીયાનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. ત્રણ દિવસનો આ મેળો હોય છે. જો કે, હાલમાં કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાને રાખીને આ વર્ષે મેળો બંધ રાખવામાં આવેલ છે. પરંતુ રાતની મહા આરતીમાં વાંકાનેર અને આસપાસના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટ્યું હતું છે.

આ મંદિરમાં ભક્તોને જલેબી અને ભજીયા પ્રસાદમાં અપાય છે. જલેબીને ભજીયાનો મેળો આ સાંભળીને જ કોઇપણ વ્યક્તિને નવાઇ લાગે, પરંતુ આ વાત સો ટકા સાચી છે. મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ નાગાબાવાના મંદિર ખાતે દર શ્રાવણ મહિનામાં નોમની રાતથી ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મહા આરતી પછી ભક્તોને જલેબી અને ભજીયાનો પ્રસાદ આપવામાં આવે છે.

એવું કહેવાય છે કે, વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવા, શાહબાવા અને વનમાળીદાસ આ ત્રણ સંતોનો ઈતિહાસ જોડાયેલા છે અને નાગાબાવાને વાંકાનેરના રાજાએ ગુરુ બનાવ્યા હતા અને વાંકાનેર વસ્યું તેમાં નાગાબાવાના આશીર્વાદ છે. એવુ પણ કહેવામાં આવે છે કે વાંકાનેરમાં નાગાબાવા અને શાહબાવા ગઢીયા ડુંગરમાં પૂર્ણ કુટીર બનાવી રહેતા હતા.

એક દિવસ ધાંગધ્રા સ્ટેટના 151 ઘોડેસવારો સાથે રાજકુમાર આવ્યા હતા અને તેમની કુટિરમાં આશરો લીધો હતો. ત્યારે નાગાબાવાએ એક થાળીમાં રહેલ લાડવા અને ગાંઠીયા પર ખપ્પર ઢાંકી બધાં લોકોને ભરપેટ જમાડ્યા હતા. તેમણે પાણી પીવા માટે ચીપિયાનો જ્યાં ઘા કર્યો હતો, અને ચીપિયો જ્યાં પડ્યો ત્યાં અમૃત નામનો વિરડો બન્યો હતો. જ્યાં બધાએ પાણી પીધું. આજે પણ આ વીરડો ગઢીયા ડુંગરમાં છે અને મીઠું પાણી આજે પણ મળી રહ્યું છે.

પૌરાણિક મેળો હોવાથી ન માત્ર મોરબી કે વાંકાનેરના જ લોકો, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઘણા લોકો જલેબી ભજિયાનો મેળો માણવા માટે વાંકાનેર આવે છે. વષો પહેલા જે જગ્યાએ નાગાબાવાએ જીવતા સમાધિ લીધી હતી તે જગ્યાએ જ હાલમાં નાગાબાવાનું મંદિર આવેલું છે અને તે મંદિરના લાભાર્થે જ આ મેળાનું આયોજન કરવામાં આવે છે.

આમ વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવાનો ઈતિહાસ જોડાયેલો છે અને નાગાબાવાએ નોમના દિવસે જીવતા સમાધિ લીધી હોવાથી તે દિવસે તે સમયથી દર વર્ષે વાંકાનેર ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને નોમની રાત્રે બાર વાગ્યે મહાઆરતી બાદ હજારો લોકો મંદિરે ભજીયા અને જલેબીનો પ્રસાદ લેવા માટે આવે છે. જેના પાછળનું મુખ્ય કારણ એ છે કે, નાગાબાવાએ તે સમયે રાજાને કોલ આપ્યો હતો કે જે લોકો આ પ્રસાદ લેશે તે નિરોગી રહેશે. તેથી વાંકાનેર તેમજ આસપાસના વિસ્તારના લોકો આ મેળાનો લાભ લેતા જ હોય છે.

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે અમારા સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: