બિહારમાં છેલ્લા બે દિવસમાં ઝેરી દારૂ પિવાના કારણે બે જિલ્લામાં 21 લોકોના મોત થયા છે જ્યારે કુલ 16ની હાલત ગંભીર છે. તેમાંથી 13 લોકોએ ગોપાલગંજમાં જીવ ગુમાવ્યા છે. 7ની હાલત ગંભીર છે. અહીં ત્રણ લોકોની આંખોની રોશની જતી રહી છે. બીજી તરફ બેતિયામાં 8 લોકોના મોત થયા છે. નવ વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ગોપાલગંજમાં દારૂ પીવાથી તબિયત બગડનારાઓની મોતીહારી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તમામ મૃતકો કુશહર, મોહમ્મદપુર, મંગોલપુર, બુચેઆ, છપરા અને રસૌલી ગામના રહેવાસી હતા. આ બધાએ મંગળવારે દારૂ પીધો હતો. એ પછી તેની તબિયત બગડવા લાગી.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે બુધવારે સાંજ સુધી આઠ લોકોના મોત થયા હતા. મોતીહારી અને ગોપાલગંજ હોસ્પિટલમાં દાખલ વધુ પાંચ લોકોના ગુરુવારે સવાર સુધી મોત થયા હતા. તેનાથી મૃત્યુઆંક વધીને 13 થયો છે. જોકે વહીવટીતંત્રે ગુરુવારે સવાર સુધી મૃત્યુઆંકમાં વધારો થયો છે તે બાબત નકારી કાઢી હતી. ખાણ કામ પ્રધાન જનક રામ ગુરુવારે સાંજે મૃત્યુ પામેલા તમામ આઠ લોકોના ઘરે પહોંચ્યા હતા અને તેમણે કાર્યવાહીની ખાતરી આપી હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.