• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

ભારતમાં જ છેલ્લા વીસ વર્ષમાં સાપે લીધા આટલા બધા લોકોના જીવ

in India
ભારતમાં જ છેલ્લા વીસ વર્ષમાં સાપે લીધા આટલા બધા લોકોના જીવ

સાયન્સ જર્નલ “ઈલાઈફ” માં પ્રકાશિત એક સંશોધન મુજબ ભારતમાં છેલ્લા વીસ વર્ષોમાં સાપ કરડવાથી લગભગ 12 લાખ લોકોના મૃત્યુ થયાનો અંદાજ છે. આ સંશોધન ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક વૈજ્ઞાનિકોએ સાથે મળીને કર્યું છે. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું હતું કે મૃતકોમાં લગભગ અડધા લોકો 30 થી 69 વર્ષની ઉંમરના હતા જયારે ચોથા ભાગની સંખ્યા બાળકોની હતી.

image source

ભારતમાં સૌથી વધુ જે સાપ કરડવાના કિસ્સા નોંધાયા છે તે ” રસેલ્સ વાઈપર ” જેને આપણે દેશી ભાષામાં કાળોતરા સાપ તરીકે ઓળખીએ છીએ તે જવાબદાર છે. જો કે અન્ય 12 પ્રજાતિના સાપોનું નામ પણ જીવલેણ ડંખ મારનારા સાપમાં છે. વળી, ઘણાખરા કિસ્સાઓમાં સાપનો ડંખ એટલા માટે પણ જીવલેણ બની જાય છે કારણ કે જે તે વિસ્તારોમાં લોકોને તાત્કાલિક અને સમયસર ડોકટરી સારવાર નથી મળતી.

image source

એ પણ નોંધનીય છે કે સાપ કરડવાના અડધા કિસ્સાઓ ચોમાસાની ઋતુમાં જ નોંધાયા છે. ખાસ કરીને જૂન મહિનાથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં સાપો વધુ કરડે છે અને તેનું કારણ એ છે કે આ સમયગાળો સાપોનો દરમાંથી બહાર નીકળવાનો સમયગાળો છે. મોટેભાગે કાળોતરો સાપ શિકારના પગમાં જ ડંખ મારે છે.

image source

ઉલ્લેખનીય છે કે ભારતના મહત્વાકાંક્ષી “મિલિયન ડેથ સ્ટડી” પ્રોજેક્ટ માટે ઉપરોક્ત સંશોધનના આંકડાઓ મેળવાયા છે. લગભગ આખા ભારત અને દક્ષિણ એશિયામાં જોવા માલ્ટા રસેલ્સ વાઈપર ને અનેક લોકો દુબોઇયા સાપના નામથી પણ ઓળખે છે. આ પ્રજાતિના સાપોનો મુખ્ય ખોરાક ઉંદર અને ખિસકોલી હોય છે અને મોટેભાગે માણસોના રહેણાંક વિસ્તારોમાં જ છુપાઈને રહે છે.

image source

રસેલ્સ વાઈપર દિવસના અજવાળામાં મોટેભાગે શાંત બનીને રહે છે પરંતુ રાતનાં અંધારામાં તે ખતરનાક બની જાય છે. તેની લંબાઈ આશરે પોણા બે મીટર એટલે કે પાંચ ફૂટ નવ ઇંચ સુધીની હોય શકે છે . અન્ય એક પ્રજાતિ નાગ સાપ પણ મોટેભાગે અંધારામાં જ ડંખ મારે છે. નાગ સાપનો ડંખ પણ એટલો ખતરનાક હોય છે કે તેનાથી ઇન્ટર્નલ બ્લીડીંગનો ભય રહે છે અને તાત્કાલિક મેડિકલ સારવારની જરૂર પડે છે.

image source

સંશોધનમાં પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ વર્ષ 2001 થી વર્ષ 2014 સુધી સાપ કરડવાના લગભગ 70 ટકા કિસ્સાઓ ભારતના બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ (તેલંગાણા સહીત), રાજસ્થાન અને ગુજરાત એમ આઠ રાજ્યોમાં બન્યા હતા. આ બનાવોમાં 70 વર્ષથી વધુની ઉંમરના લોકોના મૃત્યુની સંભાવના દર 250 વ્યક્તિઓ પૈકી એક છે. જો કે અમુક વિસ્તારોમાં આ જોખમ 100 વ્યક્તિ પૈક એક જેટલું વધી પણ જાય છે.

image source

સંશોધનકર્તાઓના કહેવા મુજબ ચોમાસાના સમયમાં ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખેતીનું કામ કરનારા લોકોને સાપ કરડવાનું જોખમ વધુ રહે છે. આ પ્રકારનું કામ કરતા લોકોને સાપથી સુરક્ષિત રહેવા માટેના સામાન્ય ઉપાયો શીખવાડવાની જરૂર છે જેમ કે કામ કરતા સમયે રબરના બુટ, મોજા અને ટોર્ચ સાથે રાખવાથી આ જોખમ ઘટાડી શકાય છે.

image source

બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા મુજબ ગરમ હવામાન ધરાવતા અનેક દેશોમાં સાપ કરડવાની ઘટનાને હળવાશથી લેવાનું ચલણ છે. આંકડાઓ મુજબ વિશ્વમાં દર વર્ષે સાપ કરડવાથી 81000 થી લઈને 138000 લોકોના મૃત્યુ નીપજે છે. અને આ સંખ્યાથી ત્રણ ગણા માણસોને સાપ કરડે તો છે પરંતુ તેઓ બચી જાય છે છતાં તેઓને કઈંક ને કઈંક સ્વાસ્થ્ય સમસ્યા થઇ જાય છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: